પુસ્તકો (Books)



      
હરિભાવ એપ્રિલ 2021 Haribhav April 2021

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Apr 06, 2022
હરિભાવ માર્ચ 2021 Haribhav March 2021

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Apr 05, 2022
સ્વાર્થ (Swarth)

લેખક: પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ: બીજી, પૃષ્ઠ: 120, કિંમત: ₹15/- પૂજ્ય શ્રીમોટાએ જે વિપુલ પ્રમાણ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ: બીજી, પૃષ્ઠ: 120, કિંમત: ₹15/- પૂજ્ય શ્રીમોટાએ જે વિપુલ પ્રમાણમાં અને અન્યત્ર ક્યાંય ન હોય એવું જે વિરલ સાહિત્યનું સર્જન કર્યું, તેમાં પશ્ચાદ્‌ભૂમિકામાં કોઈ ને કોઈ સ્વજન તરફથી થયેલ સૂચન રહેલું છે. ‘સ્વાર્થ’ ઉપર લખવા એક સ્વજને સૂચન કરતાં, પૂજ્ય શ્રીમોટાએ પ્રથમ પ્રત્યાઘાત અનુભવેલો કે ‘સ્વાર્થ’ તો ઉઘાડો જ છે. તે છતાં તે વિશે શાસ્ત્ર-વિજ્ઞાન જેવી રચના તેઓશ્રી દ્વારા થઈ છે. સને ૧૯૭૩માં તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. Publication Year:- 1973 Read less

Dec 30, 2021
શ્રીમોટા સાથે વાર્તાલાપ (Shree Mota Sathe Vartalap)

લેખક:-પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- રતિલાલ મહેતા , આવૃત્તિ:- આઠમી, પૃષ્ઠ:- 264, કિંમત:- ₹20/- શ્રી...Read more

લેખક:-પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- રતિલાલ મહેતા , આવૃત્તિ:- આઠમી, પૃષ્ઠ:- 264, કિંમત:- ₹20/- શ્રી રતિલાલ મહેતાએ મુંબઈમાં વિવિધ સ્થળે થયેલી પૂજ્ય શ્રીમોટાની પધરામણી સમયે તથા કેટલીક વાર સુરત આશ્રમે થયેલા સત્સંગ દરમિયાનના વાર્તાલાપોની નોંધ રાખી હતી. કેટલાક પ્રસંગે તો આવો સત્સંગ ટેપ પણ કરી લીધો હતો. તેને વ્યવસ્થિત કરી પ્રગટ કરવાનું નિમિત્ત આજે 'શ્રીમોટા સાથે વાર્તાલાપ' સ્વરુપે પ્રગટ થાય છે. Publication Year:- 1979 Read less

Dec 30, 2021
શ્રીમોટા સાથે હિમાલય યાત્રા (Shree Mota Sathe Himalay Yatra)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 100, કિંમત:- ₹10/- ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 100, કિંમત:- ₹10/- પૂજ્ય શ્રીમોટાએ ઘણીવાર હિમાલયની યાત્રા કરેલી . પોતાના સાધનાકાળ દરમિયાન યાત્રા કરેલી એના અનુભવો પૂજ્ય શ્રીમોટાએ વિગતે કહ્યા નથી . છતાં ત્રણેક જેટલા અનુભવો આલેખ્યા છે , પરંતુ ૧૯૪૫ માં પૂજ્ય શ્રી નંદુભાઈનો પરિવાર પુજ્ય શ્રીમોટા સાથે યાત્રાએ ગયેલો ત્યારે પૂજ્ય શ્રીમોટાના અલૌકિક અનુભવો પૂજ્ય શ્રીમોટાએ ‘ જીવનપોકાર ’ માં આલેખેલા છે . અને એકત્ર કરીને પ્રગટ કરવાનું શ્રી રમેશભાઈ ભટ્ટે સૂચવ્યું અને એ કામ એમણે હાથ પર લીધું . આ હકીકત તદ્દન નવા જ રૂપે એમણે સંપાદિત કરી છે . Publication Year:-1994 Read less

Dec 30, 2021
શ્રીમોટા પત્રાવલી ૧-૨ (Shree Mota Patravali-1-2)

લેખક:-પૂજ્ય શ્રીમોટા, પ્રકાશક :- હરિ: ૐ આશ્રમ ટ્રસ્ટી મંડળ, આવૃત્તિ :- બીજી, પૃષ્ઠ :-144, કિંમ...Read more

લેખક:-પૂજ્ય શ્રીમોટા, પ્રકાશક :- હરિ: ૐ આશ્રમ ટ્રસ્ટી મંડળ, આવૃત્તિ :- બીજી, પૃષ્ઠ :-144, કિંમત :- ₹15/- પૂજ્ય શ્રીમોટાએ પોતાના એક સ્વજનને લખેલા પત્રોનો આ સંચય જીવનવિકાસની સાધનાને અત્યંત સરળતાથી અને વ્યવહારુ રીતે સ્પષ્ટ કરે છે . પૂજ્ય શ્રીમોટાએ સંસારજીવનમાં રહીને પ્રભુમય જીવનનો અનુભવ કેવી રીતે પમાય એની અનેક રીતો દર્શાવી છે. Publication Year:-1995 Read less

Dec 14, 2021
પુનિત પ્રેમગાથા (Punit Prem-Gatha)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 292 , કિંમત:- ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 292 , કિંમત:- ₹ 20/- આ ચોપડીમાંનું લખાણ જુદી જુદી વ્યક્તિઓને લખાયેલું છે અને તે દરેક વ્યક્તિના જીવનના જુદા જુદા પ્રશ્ન અને જુદી જુદી ભૂમિકા અંગેનું છે . તેથી , તેમાં અનેકવાર એકના એક ભાવાર્થવાળું લખાણ પણ ક્યાંક ક્યાંક આવી જાય છે . દરેક પથ એક સ્વતંત્ર વ્યક્તિને હોઈને તે આપણા સમાજમાંથી અનેક વ્યક્તિઓના જીવનને લાગુ પડી શકે તેવું છે . Publication Year:- 1947 Read less

Dec 14, 2021
પ્રેરક વિભૂતિ મહાત્મા ગાંધી (Prerak Vibhuti-Mahatma Gandhi)

સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 132, કિંમત:- ₹10/- મહાત્મા ગાંધી પ્રત્યે પ...Read more

સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 132, કિંમત:- ₹10/- મહાત્મા ગાંધી પ્રત્યે પૂજ્ય શ્રીમોટા મનહૃદયથી અત્યંત આદરભાવ ધરાવતા હતા. અભ્યાસકાળનાં વર્ષોમાં અને તે પછી સાબરમતી આશ્રમના વસવાટ દરમિયાન તેમ જ હરિજન સેવાના ક્ષેત્રમાં કાર્યરત હતા, તે સમગ્ર સમય દરમિયાન જુદા જુદા પ્રસંગોએ એ આદરભાવ વ્યક્ત થયો છે. Publication Year:-1994 Read less

Dec 14, 2021
પ્રભુની ખોજ (Prabhu ni Khoj)

લેખક:-પૂજ્ય શ્રીમોટા,સંપાદક:- ડૉ. શરતભાઇ છોટુભાઇ દેસાઇ, આવૃત્તિ:- છઠ્ઠી, પૃષ્ઠ:-140, કિંમત:- ₹1...Read more

લેખક:-પૂજ્ય શ્રીમોટા,સંપાદક:- ડૉ. શરતભાઇ છોટુભાઇ દેસાઇ, આવૃત્તિ:- છઠ્ઠી, પૃષ્ઠ:-140, કિંમત:- ₹10/- પૂજ્ય શ્રીમોટાએ સુરતના મૌનાર્થીઓને કરેલ સંબોધનો જુદાં જુદાં પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે, તે પ્રકાશનોમાંથી પુનાના ડૉ. શરત સી. દેસાઈએ કેટલુંક સંપાદન કરતાં ‘પ્રભુની ખોજ’નું પ્રકાશન થયું હતું. આધ્યાત્મિક જીવન અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સામાન્ય માણસ પણ સમજી શકે એ પ્રકારનું લખાણ આ પુસ્તકમાં છે. Publication Year:-1988 Read less

Dec 14, 2021
મોહ (Moh)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 176, કિંમત:- ₹15/- પૂજ્ય શ્રીમોટા કુરુક્ષેત્ર...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 176, કિંમત:- ₹15/- પૂજ્ય શ્રીમોટા કુરુક્ષેત્રના આશ્રમે તા. ૧૩-૮-૧૯૭૩ના રોજ સાંજે પહોંચ્યા ત્યારે સુરત આશ્રમમાં એક બહેન ૪૯ દિવસના મૌનમાં બેસીને તે જ દિવસે બહાર નીકળ્યાં હતાં. તે બહેને મને કહ્યું, ‘મોટા, તમે જિજ્ઞાસા, શ્રદ્ધા, ભાવ, નિમિત્ત વગરે વગેરે પર બધું લખ્યું, તો હવે તમે ‘મોહ’ પર લખો તો સારું.’ ત્યારબાદ મોટાએ તેમને નિમિત્ત બનાવી 'મોહ' પુસ્તકની અનુષ્ટુપ છંદમાં રચના કરી. Publication Year:-1973 Read less

Dec 14, 2021
મૌનાર્થીને માર્ગદર્શન (Maunarthi ne Margdarshan)

લેખક:-પૂજ્ય શ્રીમોટા, પ્રકાશક:- હરિ:ૐ આશ્રમ ટ્રસ્ટી મંડળ, આવૃત્તિ :- બીજી, પૃષ્ઠ:-56, કિંમત ...Read more

લેખક:-પૂજ્ય શ્રીમોટા, પ્રકાશક:- હરિ:ૐ આશ્રમ ટ્રસ્ટી મંડળ, આવૃત્તિ :- બીજી, પૃષ્ઠ:-56, કિંમત :- ₹5/- સને ૧૯૫૩-૧૯૫૪માં પૂજ્ય શ્રીમોટાએ મૌનમાં બેઠેલાં કેટલાંક સ્વજનોને પત્રો લખ્યા હતા, જેમાં મુખ્યત્વે શ્રી ભીખુકાકા હતા, તે પત્રોની પ્રથમ આવૃત્તિ ‘પૂજ્ય શ્રીમોટાનું મૌનાર્થીને માર્ગદર્શન’ના નામે સને ૨૦૦૩ હરિઃૐ આશ્રમ, સુરત દ્વારા પ્રકાશિત થઈ હતી. Publication Year:- 2003 Read less

Dec 14, 2021
મૌનમંદિરનું હરિદ્વાર (Maun Mandir nu Haridwar)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- છઠ્ઠી, પૃષ્ઠ:-144, કિંમત:-₹20/...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- છઠ્ઠી, પૃષ્ઠ:-144, કિંમત:-₹20/- હરિઃૐ આશ્રમ , સુરતનાં મૌનમંદિરમાંથી મૌનસાધના બાદ બહાર નીકળતાં સ્વજનો – સાધકો સમક્ષ પૂજ્ય શ્રીમોટા ટૂંકું પ્રવચન કરતાં અને જીવન જીવતાં જીવતાં ભગવાનને ભજવા અંગેની વાતો સરળ ભાષામાં સમજાવતા હતા .તેને નિકટનાં સ્વજનો ઉતારી લેતા તેનું સંપાદન ડૉ. રમેશભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. Publication Year:- 1983 Read less

Dec 14, 2021