આદરણીય સ્વજનો, સાદર હરિ:ૐ
ફરીથી કોરોના મહામારીનું સંક્રમણ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યું છે અને પૂર્વવત ગંભીર સ્થિતી થઈ રહી છે. સરકાર તરફથી પણ જરૂરી પગલા લેવાઈ રહ્યા છે. આ પરિસ્થિતીને ધ્યાને લેતાં હરિ:ૐ આશ્રમ સુરતમાં યોજાતી દર રવિવાર સવારની પ્રાર્થના તેમજ મૌનાર્થીઓ માટે મૌનમંદિર પ્રવેશ તા.૧૭-૦૧-૨૦૨૨ને રવિવારથી બંધ કરવામાં આવેલ છે. રવિવારની પ્રાર્થના અને મૌનાર્થીઓના મૌનમંદિર પ્રવેશની શરૂઆત અંગે યોગ્ય સમયે જાહેરાત થકી સૌને જાણ કરવામાં આવશે. હાલમાં આશ્રમ ફક્ત પૂજ્ય શ્રીમોટાના દર્શનાર્થે ખુલ્લો રહેશે. મુલાકાતીઓને સરકારશ્રીની કોરોના ગાઈડલાઇન સુચના (SOP) મુજબ આશ્રમના નિયમોનું પાલન કરવાં નમ્ર વિનંતી છે. આભાર.
તારીખ:૧૫-૦૧-૨૦૨૨ - ટ્રસ્ટીમંડળ