Categories
Book Gujarati books

જીવનસોપાન (Jivan Sopan)

માનું દૃષ્ટાંત

મને કોઈ પણ जीव વિશે કશી નિરાશા હોતી નથી. આશા રહે છે, કારણ કે જે जीव હૃદયની ભાવનાથી સંબંધમાં આવ્યો હશે, તેનો સંબંધ તો ટકવાનો છે. હૃદયનો જે પ્રેમભાવ છે, તેવા પ્રેમભાવમાં આશા એકલી માત્ર હોય છે તેમ પણ નથી. હૃદયનો પ્રેમભાવ જ્યારે શિક્ષકના ક્ષેત્રમાં ઊતરે છે ત્યારે તેવા ભાવમાં પણ એને ઊતરવું જ પડે છે. મા, જેમ બાળક પરત્વે કેટલીક વાર નારાજ પણ થતી હોય છે, તેનું કારણ તેનો બાળક પરત્વેનો પ્રેમ જ હોય છે. બાળકને હઠીલું, જીદ્દી અને અણછાજતું વર્તતું જોતાં અને તે કેમે કર્યું માનતું નથી એવું વલણ એનું જોતાં માને દિલમાં એને કાજે એવું થાય છે. તે કદીક બાળક ઉપર ગુસ્સે પણ થાય છે, જોકે તે તે બધું जीव દશામાં થયા કરે છે, પણ તેમ છતાં અંતર્ગતપણે માનો બાળક ઉપરનો પ્રેમભાવ તેથી ઘટતો હોતો નથી.

‘જીવનસોપાન’, આ:-છઠ્ઠી, પૃ:- 274-75

Categories
Book Gujarati books

જીવનપ્રેરણા (Jivan Prerna)

નમ્યો તે પ્રભુને ગમ્યોએવી એક કહેવત છે. મારા જેવા છેક અજાણ્યાને, કોઈ એક અજાણે ઠેકાણે પડેલાને તથા જેને કોઈ જાણતું નથી એવા ગરબીને, તમે બધાં સ્વજનો પ્રેમભાવે ન્યોછાવર કરી દો છો, એ મારે મન તો પ્રત્યક્ષ પ્રભુકૃપા જ છે. બાકી જો હું વિચારું તો મારી કને છે શું ? જગતમાં આજે લોક જેની કને કંઈક હોય છે–કંઈક પ્રતિષ્ઠા હોય, કંઈક નામના, કંઈક પ્રતિભા, કંઈક લક્ષ્મી, કંઈક સત્તા, કંઈક વૈભવ, કંઈક આંજી દે એવી તેજસ્વિતા અને એવી કંઈક સ્નિગ્ધ વાક્‌કુશળતા, સાક્ષરપણું એવાને જગત જાણે અને ઓળખે પણ ખરું. આમાંનું મારી પાસે કશુંય નથી. મારો વેપાર તો સ્વજનોની પ્રેમભાવના અને જીવનની કદરભાવના ઉપર જ નભી શકે. એના વિના હું તો સાવ દેવાળિયો છું. સાવ નરાતાર ભિખારી. પ્રભુનાં આપેલાં મારાં સ્વજનોએ પ્રેમની ખોટ પડવા દીધી નથી, તેમ છતાં હૃદયમાં તેમના પરત્વે અસંતોષની જ્વાળા આજે જે ધગધગે છે અને તેમાંથી જે વેદના પ્રગટે છે, તેનાથી હું બળ્યોઝળ્યો રહ્યા કરું છું.

‘જીવનપ્રેરણા’,ચોથી આ, પૃ-૧૩૬-૩૭