મોહ ( Moh )

15.00

નિવેદન

 

પૂજ્ય શ્રીમોટાએ તાજેતરમાં જ ‘ જિજ્ઞાસા ’ , ‘ શ્રદ્ધા ’ , ‘ ભાવ ’ , ‘ નિમિત્ત ’ ,રાગદ્વેષ ’ , ‘ કૃપા ’ , ‘ કર્મ – ઉપાસના ’ , ‘ સ્વાર્થ ’ , ‘ સદ્દગુરુ ’ વગેરે આધ્યાત્મિક વિભાવનાને સ્પષ્ટ કરતાં શાસ્ત્રો એક પછી એક લખીને પ્રગટ કર્યાં છે . તે જ શ્રેણીનું આ પુસ્તક ‘ મોહ ’ પણ શ્રેયાર્થી અને જીવનવિકાસાર્થે મથનાર તમામ માટે ઉપકારક નીવડે એવું છે .

પૂજ્ય શ્રીમોટા એમની માત્ર ઇચ્છાથી કશું જ લખતા નથી . કોઈ શ્રેયાર્થી પોતાના મંથનના ઉકેલરૂપે કંઈક લખવાનું સૂચવે તો પ્રભુકૃપાથી લખે ખરા , પરંતુ સૂચન કરનાર એ પુસ્તક પ્રકાશન અને થોડીક વેચાણ માટેની પણ જવાબદારી ઉઠાવવાની તત્પરતા દાખવે તો જ .

મોહ ’ ઉપર લખવા માટેનું આવું જ એક સૂચન એક બહેને સુરત આશ્રમમાં પોતાના લાંબા મૌનગાળાના અંતે કર્યું . ઉપરની શરતોને આધીન રહી કંઈક અંશે મોહ છોડવાનું અમલમાં મૂકવાનું બને એ માટે પ્રકાશનની રોકડ રકમની અવેજીમાં સુવર્ણ બંગડીઓ ફરી ન કરાવવાના નિર્ણય સાથે આપવાનું પૂજ્યશ્રીનું સૂચન એ બહેને સહર્ષ સ્વીકાર્યું . આ રીતે મોહ ’ પ્રકાશનનું એ નિમિત્ત બન્યાં છે . એ બદલ હરિ:ૐ આશ્રમ તરફથી એમનો હાર્દિક આભાર માનીએ છીએ .

મોહ ’ વિશે પૂજ્ય શ્રીમોટાએ ૧૬૦૦ જેટલા લોકો લખ્યા છે . એનું વિવિધ વિષયવાર વર્ગીકરણ કરીને તર્કયુક્ત રીતે ક્રમબદ્ધ કરવાનું અને જાણીશુદ્ધિની ખંતપૂર્વકની જાળવણી સહિત પ્રેસકોપી તૈયાર કરવાનું કાર્ય પ્રેમપૂર્વક પ્રા . શ્રી ઇંદુકુમાર દેસાઈએ કર્યું એ અમારે માટે ઘણા આનંદની વાત છે અને અને એમનો હૃદયપૂર્વક ઘણો આભાર માનીએ છીએ.

પૂજ્ય શ્રીમોટાના શરીરનો જન્મદિવસ ભાદરવા વદ ચોથના રોજ આવે છે . તે નિમિત્તે એક ઉત્સવ  શ્રી રમણભાઈ મથુરભાઈ પટેલ ( બંસીધર ગ્રુપ , અમદાવાદ ) ના નિવાસસ્થાને ઊજવવાનું નક્કી થયું હતું , પરંતુ રેલસંકટને કારણે પૂજ્ય શ્રીમોટાના સૂચનથી એ બંધ રાખવામાં આવ્યો હતો . આ પરિસ્થિતિના સંદર્ભમાં જન્મદિનની પૂર્વસંધ્યાએ બપોર પછી શ્રી રમણભાઈના નિવાસસ્થાને મોહ’નું સમૂહવાંચન પ્રા . શ્રી અનુપરામ ભટ્ટના મધુર કંઠે પૂજ્ય શ્રીમોટાના સાંનિધ્યમાં શરૂ થયું હતું . આ માટે પ્રા . શ્રી અનુપરામ ભટ્ટના અમો અત્યંત આભારી છીએ .

સમૂહશ્રવણ માટે સર્વ શ્રી રમણભાઈ મથુરભાઈ પટેલ અને એમના કુટુંબીજનો , કાંતિભાઈ કાંટાવાળા , માનવમંદિર ટ્રસ્ટવાળા કનુભાઈ દવે , ઇંદ્ર વસાવડા , રમાકાંત જોશી , અનુપરામ ભટ્ટ , રમેશ ભટ્ટ , ઇંદુકુમાર દેસાઈ , કાંતાબહેન નંદલાલ શાહ , સરોજબહેન કાંટાવાળા , ઊર્મિલાબહેન દલાલ , ઇચ્છાબહેન દેસાઈ , કલાબહેન દેસાઈ વગેરેએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો . અધૂરું રહેલું વાંચન બીજે દિવસે એટલે પૂજય શ્રીમોટાના જન્મદિવસે શ્રી લાલજીભાઈ ચૌહાણના ઘેર બપોર પછી આગળ ચાલ્યું હતું . તે વખતે ઉપર નિર્દેશલ સ્વજનો ઉપરાંત , શ્રી લાલજીભાઈ અને એમના કુટુંબીજનો , શ્રી લલિતચંદ્ર દલાલ , મીનાક્ષીબહેન દલાલ , કવિ હેમંત દેસાઈ વગેરેએ હાજરી આપી શ્રવણનાં સહભાગી બન્યાં હતાં , તેની નોંધ લેતાં આનંદ થાય છે .

દર વખતની જેમ આ વખતે પણ મે . એલેમ્બિક પ્રેસ , વડોદરાએ ટૂંક સમયમાં અને સારી રીતે મોહ ’ ને પ્રસિદ્ધ કરવામાં જે ઉત્સાહ અને કાળજી દાખવ્યાં છે , તે કેમ ભુલાય ? આ માટે અમો તેમના ઘણા ઘણા આભારી છીએ . અંતમાં , પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકોનાં વેચાણની સંપૂર્ણ આવક લોકકલ્યાણનાં કાર્ય માટે જ વપરાય છે . આથી , પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકો સૌ કોઈ ખરીદીને જ વાંચે અને તે ખપાવવામાં સહાય કરે એવી અમારી વિનંતી છે .

હરિ:ૐ આશ્રમ , નડિયાદ                                                                                                                                     મેનેજિંગ ટ્રસ્ટી

તા. ૪-૧૦-૧૯૭૩                                                                                                                                                   નંદુભાઈ શાહ

SKU: sku-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b9-moh Category:

Description

નિવેદન

 

પૂજ્ય શ્રીમોટાએ તાજેતરમાં જ ‘ જિજ્ઞાસા ’ , ‘ શ્રદ્ધા ’ , ‘ ભાવ ’ , ‘ નિમિત્ત ’ ,રાગદ્વેષ ’ , ‘ કૃપા ’ , ‘ કર્મ – ઉપાસના ’ , ‘ સ્વાર્થ ’ , ‘ સદ્દગુરુ ’ વગેરે આધ્યાત્મિક વિભાવનાને સ્પષ્ટ કરતાં શાસ્ત્રો એક પછી એક લખીને પ્રગટ કર્યાં છે . તે જ શ્રેણીનું આ પુસ્તક ‘ મોહ ’ પણ શ્રેયાર્થી અને જીવનવિકાસાર્થે મથનાર તમામ માટે ઉપકારક નીવડે એવું છે .

પૂજ્ય શ્રીમોટા એમની માત્ર ઇચ્છાથી કશું જ લખતા નથી . કોઈ શ્રેયાર્થી પોતાના મંથનના ઉકેલરૂપે કંઈક લખવાનું સૂચવે તો પ્રભુકૃપાથી લખે ખરા , પરંતુ સૂચન કરનાર એ પુસ્તક પ્રકાશન અને થોડીક વેચાણ માટેની પણ જવાબદારી ઉઠાવવાની તત્પરતા દાખવે તો જ .

મોહ ’ ઉપર લખવા માટેનું આવું જ એક સૂચન એક બહેને સુરત આશ્રમમાં પોતાના લાંબા મૌનગાળાના અંતે કર્યું . ઉપરની શરતોને આધીન રહી કંઈક અંશે મોહ છોડવાનું અમલમાં મૂકવાનું બને એ માટે પ્રકાશનની રોકડ રકમની અવેજીમાં સુવર્ણ બંગડીઓ ફરી ન કરાવવાના નિર્ણય સાથે આપવાનું પૂજ્યશ્રીનું સૂચન એ બહેને સહર્ષ સ્વીકાર્યું . આ રીતે મોહ ’ પ્રકાશનનું એ નિમિત્ત બન્યાં છે . એ બદલ હરિ:ૐ આશ્રમ તરફથી એમનો હાર્દિક આભાર માનીએ છીએ .

મોહ ’ વિશે પૂજ્ય શ્રીમોટાએ ૧૬૦૦ જેટલા લોકો લખ્યા છે . એનું વિવિધ વિષયવાર વર્ગીકરણ કરીને તર્કયુક્ત રીતે ક્રમબદ્ધ કરવાનું અને જાણીશુદ્ધિની ખંતપૂર્વકની જાળવણી સહિત પ્રેસકોપી તૈયાર કરવાનું કાર્ય પ્રેમપૂર્વક પ્રા . શ્રી ઇંદુકુમાર દેસાઈએ કર્યું એ અમારે માટે ઘણા આનંદની વાત છે અને અને એમનો હૃદયપૂર્વક ઘણો આભાર માનીએ છીએ.

પૂજ્ય શ્રીમોટાના શરીરનો જન્મદિવસ ભાદરવા વદ ચોથના રોજ આવે છે . તે નિમિત્તે એક ઉત્સવ  શ્રી રમણભાઈ મથુરભાઈ પટેલ ( બંસીધર ગ્રુપ , અમદાવાદ ) ના નિવાસસ્થાને ઊજવવાનું નક્કી થયું હતું , પરંતુ રેલસંકટને કારણે પૂજ્ય શ્રીમોટાના સૂચનથી એ બંધ રાખવામાં આવ્યો હતો . આ પરિસ્થિતિના સંદર્ભમાં જન્મદિનની પૂર્વસંધ્યાએ બપોર પછી શ્રી રમણભાઈના નિવાસસ્થાને મોહ’નું સમૂહવાંચન પ્રા . શ્રી અનુપરામ ભટ્ટના મધુર કંઠે પૂજ્ય શ્રીમોટાના સાંનિધ્યમાં શરૂ થયું હતું . આ માટે પ્રા . શ્રી અનુપરામ ભટ્ટના અમો અત્યંત આભારી છીએ .

સમૂહશ્રવણ માટે સર્વ શ્રી રમણભાઈ મથુરભાઈ પટેલ અને એમના કુટુંબીજનો , કાંતિભાઈ કાંટાવાળા , માનવમંદિર ટ્રસ્ટવાળા કનુભાઈ દવે , ઇંદ્ર વસાવડા , રમાકાંત જોશી , અનુપરામ ભટ્ટ , રમેશ ભટ્ટ , ઇંદુકુમાર દેસાઈ , કાંતાબહેન નંદલાલ શાહ , સરોજબહેન કાંટાવાળા , ઊર્મિલાબહેન દલાલ , ઇચ્છાબહેન દેસાઈ , કલાબહેન દેસાઈ વગેરેએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો . અધૂરું રહેલું વાંચન બીજે દિવસે એટલે પૂજય શ્રીમોટાના જન્મદિવસે શ્રી લાલજીભાઈ ચૌહાણના ઘેર બપોર પછી આગળ ચાલ્યું હતું . તે વખતે ઉપર નિર્દેશલ સ્વજનો ઉપરાંત , શ્રી લાલજીભાઈ અને એમના કુટુંબીજનો , શ્રી લલિતચંદ્ર દલાલ , મીનાક્ષીબહેન દલાલ , કવિ હેમંત દેસાઈ વગેરેએ હાજરી આપી શ્રવણનાં સહભાગી બન્યાં હતાં , તેની નોંધ લેતાં આનંદ થાય છે .

દર વખતની જેમ આ વખતે પણ મે . એલેમ્બિક પ્રેસ , વડોદરાએ ટૂંક સમયમાં અને સારી રીતે મોહ ’ ને પ્રસિદ્ધ કરવામાં જે ઉત્સાહ અને કાળજી દાખવ્યાં છે , તે કેમ ભુલાય ? આ માટે અમો તેમના ઘણા ઘણા આભારી છીએ . અંતમાં , પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકોનાં વેચાણની સંપૂર્ણ આવક લોકકલ્યાણનાં કાર્ય માટે જ વપરાય છે . આથી , પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકો સૌ કોઈ ખરીદીને જ વાંચે અને તે ખપાવવામાં સહાય કરે એવી અમારી વિનંતી છે .

હરિ:ૐ આશ્રમ , નડિયાદ                                                                                                                                     મેનેજિંગ ટ્રસ્ટી

તા. ૪-૧૦-૧૯૭૩                                                                                                                                                   નંદુભાઈ શાહ

Reviews

There are no reviews yet.

Be the first to review “મોહ ( Moh )”

Your email address will not be published.