જીવનપાથેય (Jivan Pathey)

Dec 14, 2021

પ્રસ્તાવના   

સંતપુરુષો પોતાનાં સ્વજનોની પરીક્ષા અનોખી રીતે કરે છે. ગુજરાતના વિખ્યાત સંત શ્રીમોટાનો કેટલાંક વર્ષથી મારા ઉપર અકારણ સ્નેહ રહ્યા જ કર્યો છે. અહેતુક અનુરાગ રાખવો એ એના શીલ-ચારિત્ર્યની પવિત્રતા છે. એકાએક તેઓશ્રીને કોણ જાણે શાથી મનમાં શી સ્ફુરણા થઈ, અને મને એમનું પુસ્તક જીવનપાથેય’ મોકલ્યું. સાથે એક પત્ર પણ લખીને એ પુસ્તકની પ્રસ્તાવના લખવા પ્રેમપૂર્વક આદેશ આપ્યો. પ્રેમસભર આ આદેશનું ઉલ્લંઘન કરવાની મારી શક્તિ નથી. આથી જ ખૂબ મથામણને અંતે આ લખી રહી છું.

જીવનપાથેય’ પુસ્તકમાં શ્રીમોટાએ લખેલા ગદ્ય તથા પદ્ય પત્રોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. લગભગ વીસથી પચીસ વર્ષ પહેલાં આ પત્રો સાધકોને લખાયેલા છે. આ પચીસ વર્ષોમાં હંમેશાં પ્રગતિશીલ શ્રીમોટાનું આંતર્‌બાહ્ય પરિવર્તન પણ થયું હશે. અનુભૂતિની વિશદતા અને એની અભિવ્યક્તિની સહજ સુંદરતા પણ વિકસિત થઈ હશે. આમ છતાં આ પત્રોમાં શ્રીમોટાની સહૃદય રસિકતા પૂર્ણપણે છલકાય છે. માતા, બાળકની આંગળી પકડીને ચાલતા શિખવાડે છે. એ જ રીતે શ્રીમોટા સ્નેહપૂર્વક સાધકને માર્ગદર્શન કરે છે, એમ આ પત્રો જોતાં જણાય છે. શ્રીમોટાનો સ્નેહભર્યો સંપર્ક પામનાર આ સાધકો ભારે ભાગ્યશાળી ગણાય. ગુજરાતના આત્માર્થીઓને આ સત્સંગ દીર્ઘકાળ પર્યંત મળ્યા કરે એવી ઈશ્વરને પ્રાર્થના.

તા. ૧૯-૭-૧૯૬૯                                                                                                                                                           વિમલાતાઈ ઠકાર 

અર્બુદાચલ

Read PDF Book Read Flipbook Buy Book
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Books

View All