જીવનપગલે (Jivan Pagle)

Dec 14, 2021

બે બોલ

જીવન પગલે’ મૂળ તા લખનારે પોતાના અનુભવની વાનગીરૂપે સ્વજનને, તેમની જીવન-સાધનામાં માર્ગદર્શક થઈ પડે એ હેતુથી છૂટક છૂટક લખી હતી. એ સ્વજનો પણ “વૃત્તિ સળવળેલી છે, જિજ્ઞાસા  ની જરા તરા”  એવા હોવા છતાં ઉમરમાં લેખકના કોઈ વડીલ તો કોઈ જીવનસાથી છે. આ કારણસર સ્વજનોને’ સંબોધન પહેલું મૂકવામાં આવ્યું છે, અને એવાં સંબોધન ક્યાંક ક્યાંક બીજે ઠેકાણે પણ આવે છે. આમ કેવળ આંતરતૃષા છિપાવવા અને વધારવા માટે જ આમાંનું સર્વ કંઈ સ્વજનોને લખાયેલું છે.

તેઓ જીવન-પંથે આગળ ધપવાની ઉત્કંઠાવાળા હેાવાથી તેમણે લેખક સાથે સબંધ સાંધ્યો અને તેમનો પાસેથી આમાં છપાયેલું સર્વ  કંઈ લખાણ મેળવ્યું. નિત્યના જીવન–વ્યવહારમાં જ રહીને જીવનને ઉન્નત કરવાની યેાગ્ય સૂચનાઓ આપનારું આ બધું લખાણ તેમને લાગ્યું; એટલે તે આમાંનુ કેટલુ તો જાતે લખાવીને આપ્તવર્ગમાં વહેંચતા હતા. પછી, આ બધું છપાય તે ધણાંને કામ લાગે એવી તેમને સ્ફુરણા થઇ. તેમની આ ભાવનાને પોષણ ને મૂર્તસ્વરૂપ આપનાર શ્રી. મનુ સૂબેદાર મળી ગયા; એ કારણસર તેમના અને શ્રી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના આભાર માનું છું.

હરિજન આશ્રમ, સાબરમતી                                                                                                                       હેમંતકૃમાર ગુણાભાઈ નીલકંઠ

તા. ૦૧-૧૦-‘૪૪

Read PDF Book Read Flipbook Buy Book
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Books

View All